Advertisement
Author: નોબત સમાચાર

સુવરડા ગામમાં શહીદ થયેલ પાયલોટની યાદમાં શહીદ સ્મારક-ગાર્ડન બનશે

શહીદનો પરિવાર ગામની મુલાકાતે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર તાલુકાના સુવરડા ગામમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતા એક પાયલોટ શહીદ થયા હતા. એ સ્થળે ગાર્ડન-શહીદ સ્મારક બનાવવા શહિદ પાયલોટના પરિવારે ઈચ્છા વ્યકત કરી છે.

જામનગર તાલુકાના સુવરડા ગામમાં થોડા સમય પહેલા એરફોર્સનું વિમાન તૂટી પડ્યું હતું જેમાં એક પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. આ શહીદના પરિવારજનોએ સુવરડા ગામની મુલાકાતે આવ્યા હતા, અને સ્કૂલના આચાર્ય વિપુલભાઈ વાઘેલાને મળ્યા હતા. આ સમયે ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા, જેમાં શહીદ પાયલોટના પત્ની, પુત્રી, એરફોર્સની ટીમ વગેરે જોડાયા હતા. આ સમયે આચાર્ય સહિતના ગ્રામજનોએ કહ્યું હતું કે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે આચારસંહિતા અમલમાં છે, એટલે કોઈ મંજુરી આપી શકાય નહીં, પરંતુ આપ લોકો થોડા દિવસ પછી આવો તો આપ કહેશો ત્યાં ગામમાં જગ્યા આપી દઈશું. જ્યાં શહીદ પાયલોટના પત્નીએ ગામ લોકોને તથા આચાર્યને વિનંતી કરી હતી કે, મારા પતિ અહીં શહીદ થયા હતા આથી મને ૫૦૦ થી ૭૦૦ ફૂટ જમીન આપો તો પતિના નામથી ગાર્ડન અને શહીદ સ્મારક બનાવવાની ઈચ્છા છે. આથી આ પરિવાર હરિયાણાથી  પંદર દિવસ પછી ફરી વખત સુવરડા ગામની મુલાકાતે આવનાર છે. આ પરિવારે ગામનો આભાર વ્યક્ત કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh