Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડીલ વંદના સાથે
જામનગર તા. ૧૨: શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ જામનગર દ્વારા આગામી સમયમાં શ્રી સરસ્વતી સન્માન સમારોહ તથા વડીલવય વંદના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્ઞાતિની પરંપરા જળવાય અને સંતાનોને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી સાથોસાથ જ્ઞાતિના વડીલો કે જેવો ૧૯પ૭ પહેલા જન્મ્યા હોય તેઓનું સન્માન કરવામાં આવનાર છે.
આથી વર્ષ ર૦ર૪-રપ માં ઉત્તીર્ણ થયેલા જ્ઞાતિના વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ અને તેના પાછળના ભાગમાં નામ, ધોરણ, મોબાઈલ નંબર લખીને તા. ૧૭-૬-ર૦રપ સુધીમાં પહોંચતી કરવાની રહેશે. તેવી જ રીતે વડીલોએ પણ જન્મ તારીખના દાખલાની નકલ મોકલવાની રહેશે.
આ માટે જીગ્નેશભાઈ વ્યાસ (સેન્ટ્રલ બેંક નીચે), સુરેશભાઈ જોષી (૬૩પપ૩ ૦૯૬૭૭), શિતલબેન ભટ્ટ (૯૮રપ૭ ૯૪૧૦૯), હિનાબેન ઠાકર (૯૮૭૦૦ ૬૪૩૦૭), દક્ષાબેન વ્યાસ (૮૮પ૯૦ ૭૯૮૮૦), કપિલભાઈ રાવલ (૮૪૮૮૯ ૬૩૮૮૭), પ્રકાશભાઈ શુક્લ (૯૮રપર ૦૩૮૬૮), હાર્દિકભાઈ ભટ્ટ (૯૬૦૧ર પ૭૪૩ર૮), વિભાબેન દવે (૯૪૦૦૩ ૩પ૭૩૩), કમલેશભાઈ ભટ્ટ (૯૪ર૮૩ ૧૬૪૧૦)ને નકલ પહોંચતી કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial