Advertisement
Author: નોબત સમાચાર

સચાણા ગ્રામ પંચાયત પ૦ વર્ષે સમરસ જાહેર

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના પ્રયાસોથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગર તાલુકાના સચાણા ગ્રામ પંચાયત પ૦ વર્ષ પછી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રયાસોથી ભાજપ તરફી બિનહરિફ જાહેર થઈ છે.

સચાણા ગામની આશરે ૮૦૦૦ ની વસતિ છે. આ ગામ લઘુમતિ મુસ્લિમ વસતિ ધરાવતું ગામ છે. છેલ્લા પ૦ વર્ષથી આ ગામમાં ક્યારેય સમરસ જાહેર થયું નથી.

પરંતુ આ વખતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલએ સ્થાનિક રાજકીય આગેવાનોને સમજુત કરી એક સંપ અને સુલેહથી રહેવા તથા ગામનો સર્વાંગી વિકાસ થાય તે બાબત સમજાવી ગ્રામ પંચાયતને સરપંચ શ્રીમતી સારાબેન અકબરભાઈ કકલ અને તમામ ૧૦ સભ્યો બિનહરિફ જાહેર કરાવી પ૦ વર્ષ પછી ભાજપ તરફી સમરસ જાહેર થઈ છે.

સચાણા ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને સ્થાનિક આગેવાન અને માછીમાર સમાજના આગેવાન અને પ્રમુખ મામદ સિદ્દિક ગંઢાર, કાદરભાઈ, અકબરભાઈ કકલ, અલીભાઈ જુમાભાઈ કકલ, સલીમભાઈ, જુમાભાઈ કકલ, જાવેદભાઈ સલીમભાઈ ગંઢાર વગેરેએ યોગદાન આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh