Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેલેરિયાને નાથવા ઘર આંગણે તુલસીના છોડ રોપોઃ
માનવજાતને પીડનાર અને માનવીની જીવનીય શકિત (વાઈટાલીટી)ને કોરી ખાનાર મેલેરિયાને ઓછો કે નાબુદ કરવાની વિચારણામાં પ્રથમ મચ્છર વિશે વિચારવાનું છે. મચ્છરોનો નાશ એટલે મેલેરીયાનું નિવારણ ?
મચ્છરોનું જીવન પાણીમાં શરૂ થાય છે *જયા પાણી ત્યાં જ મચ્છર'' એ સુત્ર પ્રમાણે આપણા મકાનોની ખાળ, ખાળકુંડી, અને પાણી ભરાઈ રહેવાનાં ખાડા તદ્ સાફ અને પાણી વગરના રાખવા જોઈએ, ખાળના પાણી રસ્તા પર ફેલાઈ ગંદકી ન થાય એની ચોકસાઈ રાખવી જોઈએ. શહેર કે ગામની અંદર કે બહાર નાના મોટા ખાડા હોય છે, તેમાં ચોમાસનું પાણી ભરાઈ રહેવાથી મચ્છરોને ઉછેરવાનું સ્થાન મળી રહે છે. તેથી આવા ખાડાઓ પુરાવી દેવા કે તેમાં સમાયેલાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. ઘરની આસપાસનું વાતાવરણ સારૂ રહે અને ઘરોની આસપાસ ફાલતું ઘાસ ન હો તો મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ ઓછો થાય છે.
વૈદકશાસ્ત્રનાં જાણકારોના માનવા મુજબ ઘર આંગણે ગાય પાળેલી હોય તો રોગ દાતા મચ્છરોના દંશમાથી માનવીને મુકિત મળે. એક જમાનામાં ગૌ-સેવાનો મહિમા ધર્મ હતો, સાથે સાથે ઘર આંગણે તુલસી ઉછેરવાનો પણ મહિમા હતો. તુલસીના છોડમાંથી પ્રાણવાયુ નીકળે છે. જેથી હવા ચોખ્ખી રહે છે. એવુ કહેવાય છે કે, તુલસી અને તેનાં વર્ગના છોડવાઓ રોપવાથી મચ્છરો દૂર ભાગે છે કે ત્યાંથી અદૃશ્ય થાય છે અને મેલેરિયાનો ફેલાવો ઓછો થાય છે. તેથી મેલેરીયા ગ્રસ્ત ક્ષેત્રમાં ઘરનાં ફાળિયામાં કે આંગણામાં તુલસીના છોડ રોપાવવા જોઈએ.
આયુર્વેદની ચરકસંહિતા, સુશ્રુત સંહિતા, ભાવપ્રકાશ વગેરે મહાન ગ્રંથોમાં વિષમે જવર (મેલેરિયા) થી બચવા માટે શું શું કરવુ જોઈએ, તેનો રોગચાળો ચાલતો હોય ત્યારે કઈ તકેદારી રાખવી, આહાર -વિહારમાં કેવી રીતે સાવધાની રાખવી, ઉપરાંત લસણ, જીરૂ, હરડે વગેરેના સરળ ઘરગથ્થુ ઉપાયો દર્શાવેલા છે. તેમજ મચ્છર વિરોધી ધૂપ-વજ, સરસવ, ગુગળ, લીમડાના પાન વગેરેનું પણ વર્ણન છે. આયુર્વેદ શાસ્ત્રમાં દર્શાવેલા આદેશોનું પાલન કરાય તો ચોકકસ એક દિવસ આદિકાળથી માનવીને પીડનાર અને માનવજાતના આરોગ્યનો મહાન શત્રુ મેલેરિયાનો તાવ અને આ તાવ ફેલાવનાર મચ્છરોને નાથી શકાશે કે કાબુમાં રાખી શકાશે ?.
સંકલનઃ વૈદ્ય ડી.પી. મહેતા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial