Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ અહલ્યાબાઈ હોલકરની જન્મ જયંંતી નિમિત્તે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

વકતા તરીકે રાજકોટના ધારાસભ્ય ઉપસ્થિતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગુજરાતના અનેક મંદિરોનો ઝીર્ણોદ્ધાર કરાવેલ અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મ જયંતી પ્રસંગે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.

ખંભાળિયા પાલિકા સભાગૃહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ વકતા તરીકે હાજર રહ્યા હતા. અહલ્યાબાઈના જીવન કવન વિષે વકતવ્ય આપ્યું હતું. ભાજપ જિલ્લા મહામંત્રી ભરતભાઈ ગોજીયા, મંત્રી નીમિષાબેન નકુમ, પૂર્વ પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તથા આગેવાનો જોડાયા હતાં.

ખંભાળિયા ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી પરિવાર તથા ભરતભાઈ મોટાણી, વિનુભાઈ સોમૈયા વગેરેના હસ્તે ડો. દર્શિતાબેન શાહનું સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh