Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેક્ટર રહ્યા ઉપસ્થિતઃ માર્ગદર્શન

ટંકારીયામાં ફેરપ્રાઈઝ શોપ, પંચાયત, આંગણવાડીની  પણ લીધી મુલાકાત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: દ્વારકા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના દ્વારા કલ્યાણપુર તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરીમાં યોજાયેલ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાયક્રમમાં ઉપસ્થિત રહીને અરજદારોને સાંભળ્યા હતા તથા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું

જિલ્લા કલેક્ટર તથા અધિકારીઓ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરીને વૃક્ષારોપણ કર્યું હતું. કલ્યાણપુર મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્ર તથા આધારકાર્ડની કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ રેવન્યુ સેવાઓ લોકોને સહેલાઈથી તથા વિના વિલંબે પ્રાપ્ત થાય તે માટે તથા સફાઈ અંગે સુચના આપી હતી. કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર, વાજબીભાવની દુકાનની જિલ્લા કલેકટરે મુલાકાત લઈને વિતરણ અંગે તપાસ કરી હતી. ટંકારીયા ગ્રામપંચાયતની મુલાકાત લઈને સરપંચ તથા ગ્રામજનોને સફાઈ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટંકારીયાના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh