Advertisement
Author: નોબત સમાચાર

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનારને ૨૦ વર્ષની સજા

સગીરાને રાજસ્થાન નસાડી જવાઈ હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરની એક સગીરાનું પોણા ચાર વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી પરપ્રાંતીય શખ્સે અપહરણ કર્યા પછી બે મહિના સુધી પોતાની સાથે રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણ કલમ હેઠળ આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે.

જામનગરના એક પરિવારની સાડા ચૌદ વર્ષની વયની પુત્રીનું ગઈ તા.૧૮-૭-ર૧ના દિને મૂળ રાયપુરના રણજીત ગણેશસિંગ રાજપૂત નામના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું.

એક સ્થળે કામે જતી આ તરૂણીને પ્રેમજાળમાં ફસાવ્યા પછી રણજીતે પોતાની સાથે નાસી જવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડયું હતું અને ફોસલાવી લઈ જઈ આ શખ્સે ભાવનગર માં પોતાના કાકાના ઘેર પહોંચાડી હતી. જ્યાં તેના કાકાએ આશરો આપવાની ના પાડતા રણજીત તે સગીરાને રાજસ્થાન લઈ ગયો હતો જ્યાં દૂરના એક સંબંધીના ઘેર રાખી આ શખ્સે તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા પછી બે મહિના સુધી અવારનવાર દુષ્કૃત્ય ગુજાર્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો હતો. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી રણજીત ગણેશસિંગ રાજપૂતને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને રૂ.૧૭ હજારનો દંડ ભરવા આદેશ કર્યાે છે. સગીરાને વળતર પેટે રૂ.૪ લાખ ચૂકવવામાં આવશે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh