Advertisement
Author: નોબત સમાચાર

ફિલ્મ-ટી.વી. અભિનેતા મુકુલ દેવનું નિધન

હિન્દી, પંજાબી, બંગાળી, મલયાલમ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૪: ફિલ્મ-ટી.વી. અભિનેતા મુકુલદેવનું નિધન થતા મનોરંજન ક્ષેત્રમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા મુકુલ દેવનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું છે. અભિનેતાએ ૫૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મુકુલ દેવ સાથે ફિલ્મ 'સન ઓફ સરદાર'માં કામ કરનાર અભિનેતા વિંદુ દારાસિંહે અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. વિંદુદારા સિંહે દુઃખ વ્યક્ત કરતા કહૃાું હતું કે મુકુલ હવે પોતાને મોટા પડદા પર જોઈ શકશે નહીં.

મુકુલ દેવનો જન્મ ૧૭ સપ્ટેમ્બરના નવી દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે ૧૯૯૬માં ટીવી સિરિયલ 'મુમકીન'થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. બાદમાં ટીવી ઉપરાંત તેમણે હિન્દી તેમજ પંજાબી, બંગાળી, મલયાલમ, કન્નડ અને તેલુગુમાં ૬૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેઓ છેલ્લે ૨૦૨૨ માં ફિલ્મ 'એન્ટ ધ એન્ડ' માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. ટીવી પર તેઓ ૨૦૧૮ની સિરિયલ '૨૧ સરફરોશ'માં ગુલ બાદશાહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે ૨૦૨૦માં તે ઓટીટી પર વેબ સિરીઝ 'સ્ટેટ ઓફ સીઝઃ ૨૬/૧૧' માં જોવા મળ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh