Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુધવારે એસીબીએ નોંધ્યો હતો ગુન્હોઃ
જામનગર તા. ર૪: જામનગરના ખંભાળિયા નાકા પોલીસચોકીના એએસઆઈ તથા જમાદાર સામે રૂ.૮ હજારની લાંચનો ગુન્હો નોંધાયા પછી બંનેના ઘરની તલાશી એસીબી દ્વારા લેવાઈ હતી. અદાલતમાં રજૂ થયેલા બંને આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
જામનગરના આસામી સામે થોડા દિવસ પહેલાં પોલીસમાં અરજી કરવામાં આવી હતી. તેની તપાસ ખંભાળિયા નાકા પોલીસચોકી પાસે હતી. આ પોલીસચોકી ના એએસઆઈ યુવરાજસિંહ જે. ગોહિલે તે વ્યક્તિને હેરાન ન કરવા અને લોકઅપમાં ન મૂકવા માટે રૂ.૧૦ હજારની લાંચ માંગ્યાની તેમજ રૂ.૨ હજાર આપી પણ દીધાની ફરિયાદ એસીબીમાં કરવામાં આવી હતી.
તેના પગલે ખંભાળિયા નાકા પોલીસચોકીમાં ગોઠવાયેલા છટકામાં યુવરાજસિંહ વતી જમાદાર પુષ્પરાજસિંહ ગિરીરાજસિંહ જાડેજાએ રૂ.૮ હજાર સ્વીકારતા એસીબીના સ્ટાફે તેની તથા યુવરાજસિંહની ધરપકડ કરી લીધી હતી.
ઉપરોક્ત બંને આરોપીની પૂછપરછ કર્યા પછી બંનેના રહેણાંક પર ચકાસણી કરવામાં આવી હતી. પછી બંને આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા તેઓને જેલહવાલે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial