Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી-બફારાની જનસ્વાસ્થ્ય પર અસરઃ હોસ્પિટલમાં દર્દીઓની ભીડઃ
જામનગર તા.ર૪: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો પોણા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૭.૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા વધીને ૮૦ ટકાએ પહોંચી ગયું હતું. આથી ઝપાટાબંધરીતે ફૂંકાતા વાયરાઓ વચ્ચે પણ આકરો તાપ અને અસહ્ય બફારો યથાવત્ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે.
જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં શનિવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો પોણા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૭.૪ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા સુધી વધીને ૮૦ ટકા રહ્યું હતું. ઝપાટાબંધરીતે ફૂંકાતા વાયરાઓ વચ્ચે પણ તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ પ્રજાજનોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.
બપોરે પડતા આકરા તાપ અને બફારાના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. લોકો બપોરે કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. એસી તથા પંખાથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. રસોઈ બનાવતી વખતે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરમી અને અસહ્ય બફારાની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. સરકારી તથા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં માથા તથા પેટમાં દુઃખવું, તાવ સહિતના કેસો વધારે નોંધાઈ રહ્યા છે.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. વેગીલા વાયરાઓના પગલે સાંજે ૬ વાગ્યા પછી ધીમે-ધીમે ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial