Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનના કચ્છના કાર્યક્રમ માટે જામનગર એસ.ટી. ડિવિઝનની ૧૩૦ બસ ફાળવાઈઃ લોકોને થશે હાલાકી

સોમવારે બહારગામ જતા પહેલા વિચારજો...

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: દેશના વડાપ્રધાન આગામી તા. ર૬ ના કચ્છના પ્રવાસે આવી રહ્યા છે જ્યાં સભાને સંબોધન કરવાના છે. આથી જનમેદની એકત્ર કરવા ૧૩૦૦ થી વધુ એસ.ટી. બસ ફાળવવામાં આવી છે. જેમાં જામનગર ડિવિઝનની પણ ૧૩ બસનો સમાવેશ થાય છે. આવતીકાલે આ બસો જામનગરથી રવાના થનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ર૬ અને તા. ર૭ ના બે દિવસિય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા. ર૬ ના બપોરે ૩-૩૦ કલાકે કચ્છ પહોંચનાર છે. તેઓ ભૂજમાં બપોરે જંગી જનસભાને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

કચ્છના ભૂજમાં જનસભામાં જનમેદની એકત્ર કરવા સૌરાષ્ટ્રભરમાંથી એસ.ટી.ની ખાસ બસો દોડાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ ૧૩૦૦ થી વધુ બસ કચ્છમાં લઈ જવાશે જેમાં જામનગર એસ.ટી. ડિવિઝનની પણ ૧૩૦ બસનો સમાવેશ થાય છે.

જામનગર ડિવિઝન પાસે કુલ ર૬૦ બસ છે. જેમાંથી ૧૩૦ બસ વડાપ્રધાનના કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવી છે. એટલે કે અડધી બસ ફાળવવામાં આવી છે. આ તમામ બસ આવતીકાલ રવિવારે રાત્રે જામનગરથી રવાના થશે. એટલે સોમવારે જામનગરમાં બસના મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh