Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનતા પૂર્ણ કરવા જતાં પરિવારને ભાથું આપવા આવ્યા હતાઃ
ખંભાળિયા તા. ૨૪: ખંભાળિયાના ધરમપુરના સતવારા આગેવાન તથા જિલ્લા ભાજપના મહામંત્રીના નાનાભાઈને ભાણવડ રોડ પર ગઈકાલે એક બોલેરોએ ટક્કર મારતા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ચાલીને માનતા પૂર્ણ કરવા જતા પરિવારને ભાથું આપવા આવેલા આ યુવાનને કાળનો ભેટો થતાં ગમગીની પ્રસરી છે.
ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના સતવારા આગેવાન તથા દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી રસીકભાઈ નકુમના ભાઈ જીતેન્દ્રભાઈ ઉર્ફે કનાભાઈ (ઉ.વ.૩૪) તથા તેમના પરિવારજનો ગઈકાલે ભાણવડ સ્થિત ભુતવડ માનતા પૂર્ણ કરવા નીકળ્યા હતા.
તેઓ જ્યારે ખંભાળિયાથી થોડે દૂર પહોંચ્યા ત્યારે પદયાત્રીઓને ટિફિન દેવા માટે આવેલા જીતેન્દ્રભાઈને અચાનક પુરપાટ ઝડપે ધસી આવેલી એક બોલેરોએ પાછળથી હડફેટે લીધા હતા. જોશભેર રોડ પર પછડાયેલા જીતેન્દ્રભાઈને ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
બનાવની જાણ થતાં સતવારા સમાજના આગેવાનો દોડી આવ્યા હતા. તે પછી સદ્ગતની યોજાયેલી અંતિમ યાત્રામાં રાજ્યમંત્રી મુળૂભાઈ બેરા પણ જોડાયા હતા. સદ્ગતના પિતા લાલજીભાઈ (ખાખી) અગાઉ ધરમપુરમાં સરપંચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. યુવાન વયના ૫ુત્રના નિધનથી તેમનો પરિવાર સ્તબ્ધ બની ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial