Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની કાર્યવાહીઃ
જામનગર તા. ર૭: જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં તાજેતરમાં એક જુની ઈમારતનો જર્જરિત હિસ્સો તાજેતરમાં તૂટી પડ્યો હતો. આથી આજે મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતનો જોખમી હિસ્સો આજે તોડી પાડવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસેની એક ઈમારતમાંથી તાજેતરમાં પોપડા પડ્યા હતાં અને કેટલોક જર્જરિત ભાગ તૂટી પડ્યો હતો. આથી આ જર્જરિત ઈમારતનો જોખમી હિસ્સો તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે અન્ય કોઈ વાહનચાલક-રાહદારીને ઈજા થાય નહીં તે માટે વાહનની આદશ ઊભી કરીને ત્યાંથી અવર-જવર બંધ કરવામાં આવી હતી.
જરૂરી પાડતોડ કર્યા પછી ત્યાંથી કાટમાળ દૂર ખસેડવામાં આવ્યા પછી રસ્તો પુર્વવત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial