Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈ નથવાણીનું ટવીટઃ
દ્વારકા તા. ૨૭: લોકસભાના સાંસદ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી તાજેતરમાં દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીઓનો સખ્ત શબ્દોમાં વિરોધ વ્યકત કર્યો છે. તેમના ટ્વીટમાં પરિમલભાઈએ લખ્યુ છે કે ફરી એકવાર સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળના સાધુએ ભગવાન દ્વારકાધીશ વિશે ખોટી અને પાયાવિહોણી ટિપ્પણી કરી છે. પોતાના સંપ્રદાયનું ગુલાબી ચિત્ર દોરવા સનાતન દેવી-દેવતાઓ કરતા તેમના સંપ્રદાયના ભગવાન અને સંતોને દોરતા આ સંપ્રદાયના નિવેદનો પર નિવેદનો કષ્ટદાયક અને નિંદનીય છે અને અસ્વીકાર્ય તથા અપ્રિય છે. આ પહેલાં પણ ભગવાન દ્વારકાધીશ વિશેની ટિપ્પણીઓને પરિમલભાઈએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ભ્રામક નિવેદનો અંગે જે લેખકે ભૂલ કરેલી છે તે સ્વીકારી માફી માંગવી જોઈએ તેવું દ્વારકાધીશમાં પરમ આસ્થા ધરાવતાં પરિમલ નથવાણીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial