Advertisement
Author: નોબત સમાચાર

પુરવણી બીલની રકમ પરત મેળવવા કરાયેલી અપીલ અદાલત દ્વારા મંજૂર

એક લાતીમાં કરાઈ હતી વીજ ચેકીંગ કાર્યવાહીઃ

જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીએ વીજ કંપની દ્વારા આપવામાં આવેલા પુરવણી બીલની ચૂકવણી વાંધા સાથે કર્યા પછી તે રકમ પરત મેળવવા દાવો કર્યાે હતો. તે અંતર્ગતની અપીલમાં અદાલતે ઉપરોક્ત રકમ પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીમાં લાકડાની લાતીમાં વીજ કંપનીની ટીમે ચકાસણી કરતા વીજચોરી થતી હોવાનો આક્ષેપ કરી રૂ.૫૪,૧૬૫નું બીલ આપ્યું હતું.

આ જગ્યામાં કનુભાઈ રામશીભાઈ વસરા લાતી ચલાવે છે અને તે જગ્યા તેમના સાળા રૂધાભાઈ બાબુભાઈના નામે આવેલી છે. તે કેસમાં કનુભાઈનો છૂટકારો થયો હતો. વીજજોડાણ ચાલુ કરાવવા કનુભાઈએ વાંધા સાથે બીલની રકમ ભરી હતી અને તે રકમ પરત મેળવવા કોર્ટમાં દાવો કર્યાે હતો. ઉપરોક્ત દાવો ચાલી જતાં અદાલતે તેને રદ્દ કર્યાે હતો તેથી કનુભાઈએ અપીલ નોંધાવી હતી. તે ચાલી જતાં અદાલતે અપીલ મંજૂર રાખી છે ગ્રાહક તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh