Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત્: દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા

એસ્મા લગાડવા છતાં

જામનગર તા. ર૭: ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ચાલતી હડતાલમાં સરકારે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે અને એસ્મા લાગુ કર્યા છે. આમ છતાં જામનગરના ૧૦૩ તમામ કર્મચારીઓની હડતાલ યથાવત્ છે. ગઈકાલે જામનગરના કર્મપારીઓએ દેખાવો કરી સૂત્રોચાર કર્યા હતાં.

ગુજરાતના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીને વાચા આપવા માટે છેલ્લા દસેક દિવસથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરી ગયા છે.

બીજી તરફ સરકારે એસ્મા લાગુ કર્યા છે, અને ૧૧૦૦ જેટલા કર્મચારીને નોકરીમાંથી ઘર ભેગા કરી દીધા છે, અને ૧૦ હજારથી વધુને નોટીસો પાઠવાઈ છે. જામનગર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ વજુભા જાડેજાના જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના ૧૭૩ કર્મચારીઓની હડતાલ યથાવત્ છે. તેમને નોટીસો મળી છે. ગઈકલે પણ જામનગરમાં કર્મચારીઓએ દેખાવો કરી સૂત્રોચાર કર્યા હતાં. આમ જામનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત્ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh