Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયતઃ
જામનગર તા. ર૭: જામનગર શહેરમાં ગેરકાયદે રીતે જાહેરમાં ઘાસચારાનું વેંચાણ કરતા વિક્રેતાઓ સામે કેટલ પોલિસી અનુસાર આજે પણ જપ્તિકરણની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને પ૦૦ કિલો જેટલો ઘાસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા આઠ દિવસથી કવાયત કરવામાં આવી રહી છે અન કેટલ પોલિસીનો કડક હાથે અમલ કરાવવામાં આવે છે. ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે આથે માત્ર જાહેર રોડ પર ઘાસનું વેંચાણ કરનારા ૯ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પ૦૦ કિલો ઘાસ જપ્ત કરી લઈ જામનગર મહાનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial