Advertisement
Author: નોબત સમાચાર

દરવાજાની સ્ટોપર કેમ મારી તેમ કહી નગરના મહિલા એડવોકેટને ધમકાવાયા

પરિવારના જ બે મહિલાએ ઢીકાપાટુથી માર માર્યાે:

જામનગર તા.ર૭ : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક મહિલા એડવોકેટ પર તેમના પરિવારના બે મહિલાએ મારા રૂમના દરવાજામાં સ્ટોપર કેમ મારી તેમ કહી મંગળવારે રાત્રે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૭માં રહેતા મીરાબેન શાંતિલાલ અઘેડા નામના એડવોકેટ મંગળ વારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઓરડાનો દરવાજો નિશા જગદીશભાઈ અઘેડા તથા ભાવના જગદીશભાઈ અઘેડાએ ખખડાવ્યો હતો. બારણું ખોલવામાં આવતા નિશાબેને તે મારા ઓરડામાં સ્ટોપર કેમ મારી તેમ કહી ગાળો ભાંંડયા પછી ભાવનાબેને આ એડવોકેટને પકડી રાખ્યા હતા અને નિશાબેને ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh