Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા માટે અરજી કરી શકશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો

ખંભાળિયા તા. ૨૭: ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ ૨૦૨૫-૨૬ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે.

આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., ૮ પાસ અને ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉમર ધરવતા અપરણિત ઉમેદવારોએ રંંૅ://ુુુ. ર્દ્ઘૈહૈહઙ્ઘૈટ્ઠહટ્ઠદ્બિઅ.હૈષ્ઠ. ૈહ વેબસાઈટ પર તા.૧૦-૦૪-૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારો પ્રથમ લેખિત પરીક્ષામાં બેસી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh