Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા પુસ્તકમાં કરાયેલી
દ્વારકા તા. ર૭: રાજ્યસભાના સાંસદ અને દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી આજે દ્વારકાની મુલાકાતે પધાર્યા હતાં.
જગદ્ગુરુ શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન કર્યું હતું તેમજ દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન-પૂજા કર્યા હતાં. તેમની સાથે રિલાયન્સ પરિવારના મનોજભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે પત્રકારો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અંગે કરેલી ટિપ્પણીઓ અંગે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ અંગે આ પ્રકારની ટિપ્પણીઓ ખૂબ જ દુઃખદ છે. જેને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણના સ્વામીઓની આ પ્રકારની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેમને ભગવાન દ્વારકાધીશમાં વિશ્વાસ નથી, પણ દ્વારકામાં દ્વારકાધીશ હાજરહજુર છે, અને દેશ-વિદેશના કરોડો ભક્તોના આરાધ્ય દેવ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial