Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ દસ દિવસ સુધી મળી શકશે નહીં

નિ રીપ્લેસમેન્ટ સર્જરી કરાવી હોવાથી

જામનગર તા. ર૭: જામનગરની સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજે 'નિ રિપ્લેસમેન્ટ'નું ઓપરેશન કરાવેલ હોવાથી અને ડોક્ટરો દ્વારા આરામ કરવાની સલાહ આપી હોય આથી તેઓ ૧૦ દિવસ માટે કોઈને મળી શકશે નહીં.

પૂ. શ્રી દેવપ્રસાદજી મહારાજ પાસે નગરજનો કાયમી દર્શન-સેવા-આશીર્વાદ-માર્ગદર્શન લેવા પધરાતા હોય છે અને પૂ. બાપુશ્રી પણ દરેક લોકોને પ્રેમથી મળતા હોય છે. તાજેતરમાં પૂ. બાપુશ્રીએ અમદાવાદમાં 'નિ રિપ્લેસમેન્ટ સર્જરી' કરાવેલ છે અને પૂ. બાપુશ્રી પરત જામનગર પધારી ચૂકેલ છે. તેઓના સ્વાસ્થ્યમાં સંતોષજનક સુધારો ઝડપથી થઈ રહેલ છે. તેમ છતાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ પૂ. બાપુશ્રીને આરામની ખાસ જરૂરિયાત છે.

આથી શ્રી આણદાબાવા સેવા સંસ્થા તરફથી જામનગરની જનતાને અનુરોધ કરાયો છે કે, પૂ. બાપુશ્રીના આરામમાં ૧૦ દિવસ વિક્ષેપ ન પડે તે માટે તમામ મુલાકાતીઓ પૂ. બાપુશ્રીને રૂબરૂ મળવાનો આગ્રહ ન રાખે. આશ્રમના કોઈપણ પ્રકારના કામકાજ માટે ઓફિસનો સંપર્ક કરી શકાશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh