Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાદીએ કરેલો દાવો અંશતઃ રખાયો મંજૂરઃ
જામનગર તા. ૨૭: કલ્યાણપુરના ખીરસરા ગામ સ્થિત ખેતીની જમીનમાં આવવા-જવાના રસ્તા અંગેના દાવાને અંશતઃ મંજૂર કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જૂના રે.સ.નં.૧૨૩ તથા નવા ૪૩વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટે ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી નીકળતો હોય અને ખેતીની જમીનના શેઢા પરથી થઈ ઉપરોક્ત ખેતીની જમીનમાં અવરજવર કરવામાં આવે છે.
આ રસ્તો ખીમા અરજણ કદાવલાએ ખેતી નાખી બંધ કરતા મનસુખભાઈ કદાવલાએ મામલતદાર સમક્ષ દાવો કર્યાે હતો. મામલતદારે તે દાવો નામંજૂર કરતા મનસુખભાઈએ નાયબ કલેક્ટર સમક્ષ કેસ કરતા કલેક્ટરે તે કેસ રિમાન્ડ કર્યાે હતો. ફરીથી તે કેસ ચાલી જતાં મામલતદારે આ દાવો અંશતઃ મંજૂર કર્યાે છે અને ગાડામાર્ગમાં કરાયેલું દબાણ ખોલી આપવા હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ ફાલ્ગુની એ. વ્યાસ, પ્રતીક જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial