Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટમાં કરાઈ હતી અપીલઃ
જામનગર તા. ૨૭: જામનગરના એક આસામીને અકસ્માતમાં થયેલી ઈજા બદલ વધુ વળતર ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ કર્યાે છે.
જામનગરમાં વૃદ્ધાશ્રમ પાસે રહેતા જીજ્ઞેશભાઈ ચંદ્રકાંત રાજાણી નામના યુવાન ગઈ તા.૧૧-૮-ર૦૦રના દિને વડોદરામાં ચાલીને જતા હતા ત્યારે તેઓને એક મોટરે ઠોકર મારી દીધી હતી. ઈજા પામેલા આ યુવાને વળતર મેળવવા અરજી કરી હતી.
તે અરજી અન્વયે મંજૂર કરાયેલા વળતરમાં વધારા માટે હાઈકોર્ટમાં જીજ્ઞેશ રાજાણીએ અપીલ કરી હતી. હાઈકોર્ટે જામનગર ક્લેઈમ ટ્રિબ્યુનલને વિશેષ સુનાવણી માટે આદેશ કર્યાે હતો. તે સુનાવણી થયા પછી ટ્રિબ્યુનલે રૂ.૯૫૩૪૩ની રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. એપેલેન્ટ તરફથી વકીલ એસ.કે. રાચ્છ, વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial