Advertisement
Author: નોબત સમાચાર

આગામી બે માસમાં ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટ કચરા મુક્ત થશે

જામનગર મહાનગરપાલિકાની કામગીરી

જામનગર તા. ર૭: જામનગરના ગુલાબનગર વિસ્તારના ડમ્પીંગ પોઈન્ટ સંગ્રહ કરાયેલ ૧ લાખ ૩૦ હજાર ટન કચરામાંથી ૯૧ હજાર ટન કચરાનો નિકાલ થઈ ચૂક્યો છે. આગામી બે માસમાં ડમ્પીંગ પોઈન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જવાની ધારણા છે.

જામનગર મહાનગર પાલિકાના ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટમાં ૧ લાખ ૩૦ ટન કચરાના ઢગલામાંથી ૯૧ હજાર ટન કચરો પ્રોસેસ કરીને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યો છે. અહીં અવારનવાર કચરામાં આગ લાગતી હતી. ઉપરાંત ભયંકર પ્રદૂષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામતી હતી. આ કચરાના ઢગલાથી ત્રસ્ત લોકો દ્વારા અવારનવાર રસ્તા રોકો આંદોલન પણ કરાયા હતાં.

આખરે મહાનગરપાલિકા દ્વારા રૂ. ૬ કરોડ ૩૭ લાખના ખર્ચે કચરાને પ્રોસેસ કરી અલગ અલગ કરવાનું કામ શરૂ થયું હતું. પરિણામે છેલ્લા પાંચ માસમાં ૯૧ ટન કચરો ત્યાંથી ઉપાડી લેવાયો છે અને પ્રોસેસ માટે મોકલી આપ્યો હતો. હજુ પણ આશરે ૪૦ હજાર ટન કચરો ત્યાં છે જેના પ્રોસેસની કામગીરી ચાલુ છે અને આગમી બે માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આમ બે માસ પછી ડમ્પીંગ પોઈન્ટ ખાલી થઈ જશે અને પ્રદૂષણ સહિતના પ્રશ્નનું સંપૂર્ણપણે નિરાકરણ આવી જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh