Advertisement
Author: નોબત સમાચાર

બિહારના આઠ રાજ્યોમાં વીજળી પડવાથી પંદર લોકોના થયા મોત

ચાર-ચાર લાખના વળતરની જાહેરાતઃ

પટના તા. ૬ઃ બિહારમાં ચોમાસું જોરદાર વરસી રહ્યું છે, બિહારમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી ચાલુ છે. દરમિયાન રાજયના વીજળીનો કહેર એટલે કે, વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. રાજ્યના ૮ જિલ્લામાં વીજળી પડવાથી ૧પ લોકોના મોત થયા છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં ૧પ લોકો વીજળીનો શિકાર બન્યા છે.

વીજળી પડવાથી રોહતાસ જિલ્લામં સૌથી વધુ પાંચ લોકોના મોત થયા છે. બીજી તરફ, આ ઘટનાની આગેવાની સી.એમ. રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે વીજળી પડવાથી મૃત્યુઆંક જાહેર કર્યો છે. જેમાં છેલ્લા ર૪ કલાકમાં ૧પ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા મંગળવારે રાજયના ૭ જિલ્લામાં વીજળી પડવાથી ૯ લોકોના મોત થયા હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર મોડી સાંજથી વીજળી પડવાને કારણે રોહતાસમાં પાંચ, કટિહાર, ગયા અને જહાનાબાદમાં બે-બે લોકોના મોત થયા છે. ખાગરિયા, કેમુર, બફસર અને ભાગલપુરમાં એક-એક વ્યક્તિ વીજળીનો શિકાર બન્યા છે.

મુખ્યમંત્રી નીતિશકુમારે આ ઘટનાઓ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ આફતની ઘડીમાં તેઓ અસરગ્રસ્ત પરિવારોની સાથે છે. મુખ્યમંત્રીએ મૃતકોના સંબંધીઓને વિલંબ કર્યા વિના ૪ લાખ રૃપિયાની એક્સ-ગ્રેશિયા આપવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાનમાં ખૂબ કાળજી રાખવાની અપીલ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh