Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત જામનગર (ગ્રામ્ય) તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. ર૬ જુલાઈના સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પુર્ણ ના થાય ત્યાં સુધી મામલતદાર, જામનગરના (ગ્રામ્ય) ના અધ્યક્ષસ્થાને જામનગર (ગ્રામ્ય) મામલતદારની કચેરીની ચેમ્બર, મહેસુલ સેવા સદન, પહેલો માળ, શરૃ સેક્શન રોડ,જામનગરમાં યોજવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકાકક્ષાના જે-તે સંબંધિત અધિકારીઓએ જાતે ઉપસ્થિત થવાનું રહેશે. તેમના પ્રતિનિધિને હાજર રાખી શકાશે નહિં. અરજદારોએ આગામી તા. ૧ર જુલાઈ સુધીમાં 'તાલુકા સ્વાગત કાર્યક્રમ'ના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી ઉક્ત સરનામા પર મોકલી દેવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial