Advertisement
Author: નોબત સમાચાર

વીજધાંધિયાથી ત્રસ્ત કારખાનેદારોનો વીજ કચેરીએ ઘેરાવ

લાલબંગલા તથા સાતરસ્તા સ્થિત કચેરીએ ઉમટી પડ્યા ટોળાઃ ઘટતું કરવા ખાતરીઃ

જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-ર અને ૩ પાસે આવેલા સરદાર ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને શિવહરિ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં છેલ્લા ચારેક દિવસથી ભારે વીજ ધાંધિયા થતાં હોય આકરા પાણીએ આવેલા ત્યાંના કારખાનેદારોએ ગઈકાલે સાંજે ટોળા સ્વરૃપે લાલબંગલા સ્થિત પીજીવીસીએલ કચેરીએ ઘેરાવ કર્યાે હતો. સંખ્યાબંધ વાહનોમાં ૩૦૦થી વધુની સંખ્યામાં આવી લાગેલા કારખાનેદારોએ વીજ કચેરીમાં પહોંચી જઈ ત્યાં કામ કરી રહેલા વીજ કર્મચારીઓની ખુરશી પર અને કેટલાક ટેબલ પર બેસી જઈ વિરોધ પ્રદર્શિત કર્યાે હતો. અચાનક થયેલા કારખાનેદારોના આગમનથી હેબતાયેલા વીજ સ્ટાફે પોલીસને જાણ કરી હતી. ધસી આવેલી પોલીસ ટીમે કારખાનેદારોને સમજાવટ કરી હતી. તે પછી સાત રસ્તા પાસે આવેલી વીજ કંપનીની કચેરીએ પણ ખાનગી જગ્યામાં કારખાના ચલાવતા કારખાનેદારોએ વીજ વિક્ષેપ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ધસી આવેલા જામનગરના સુપ્રિ. એન્જિ. એલ.કે. પરમારે ઘટતું કરવાની ખાતરી આપ્યા પછી મામલો થાળે પડ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh