Advertisement
Author: નોબત સમાચાર

પ્રતિબંધ હોવા છતાં માછીમારી માટે દરિયામાં ગયેલા સલાયાના ચાર સામે નોંધાયો ગુન્હો

જાહેરનામા ભંગ સહિતના બે કાયદા હેઠળ કાર્યવાહીઃ

જામનગર તા.૬ ઃ હાલમાં દરિયામાં માછીમારી માટે ન જવા માટે પ્રતિબંધ મૂકતું જાહેરનામું દ્વારકા જિલ્લામાં અમલી હોવા છતાં સલાયાના ચાર માછીમાર દરિયામાં જતાં ચારેય સામે બે કાયદા હેઠળ ગુન્હા નોંધવામાં આવ્યા છે.

હાલમાં ચાલતી ચોમાસાની સિઝન દરમિયાન દરિયામાં કરંટ રહેતો હોય માછીમારોને દરિયામાં ન જવા માટે દેવભૂમિ દ્વારકા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક માછીમારો તેનો ભંગ કરીને દરિયામાં જતાં હોવાની વિગતો મળતા ગઈકાલે ખંભાળિયાના સલાયાના દરિયાકાંઠે સલાયા મરીન પોલીસે વોચ રાખી હતી.

તે દરમિયાન સલાયાના સફીઢોરામાં રહેતો ઉમર ઈબ્રાહીમ ચબા નામનો માછીમાર દરિયામાંથી પરત આવતો જોવા મળ્યો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

આવી જ રીતે સલાયામાં સીદીક આદમ ચમડીયા તથા બિલાલ આમદ સુંભણીયા, હાસમ આદમ ચમડીયા પણ પોતાની એન્જિનવાળી હોડી સાથે દરિયામાંથી માછીમારી કરી પરત ફરતા તે ત્રણેય આસામી સામે પણ આઈપીસી ૧૮૮ તેમજ ગુજરાત મત્સ્યદ્યોગ કાયદાની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh