Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૬ ઃ જામનગરના વાયુનગરમાં વસવાટ કરતા એક પરપ્રાંતિય આસામીનો મોબાઈલ બારીમાંથી હાથ નાખી કોઈ શખ્સે સેરવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા વાયુનગરમાં એક મકાનમાં ભાડેથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના હંસપુર ગામના ગોવિંદસિંગ રામશંકરસિંગ રાજપૂત નામના યુવાન મંગળવારે સવારે પોતાના રહેણાંક પર હતા.
ત્યાં દરમિયાન સવારે આઠેક વાગ્યે તેમના ઓરડાની બારી પાસે પડેલો પોકો એમ-૪ બ્રાન્ડનો રૃા.૧૨,૫૦૦ની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સે બારીમાંથી હાથ સેરવી ઉપાડી લીધો હતો. તેની થોડીવાર પછી જાણ થતાં ગોવિંદસિંગે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial