Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના રણુંજાને સાંકળતા માર્ગ માટે ૬ કરોડ મંજુરઃ
જામનગર તા. ૩૧: જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં બ્રીજ બનાવવાની ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની રજૂઆતના આધારે મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલએ રૂ. ૧૧ કરોડના ખર્ચે બ્રીજ બનાવવાના કામની મંજુરી આપી છે. ઉપરાંત કાલાવડ તાલુકાના રણુંજાથી વિરવાવ સુધીના પ્લાન રસ્તાના કામ માટે રૂ. ૬ કરોડની ગ્રાન્ટ મંજુર કરી છે.
જોડિયા તાલુકાનું રણજીતપર ગામ છેવાડે દરિયા કિનારે છે. વચ્ચમાં આજી નદી આવતી હોવાથી ખેડૂતોને ખેતી કામ કરવા સામે કાંઠે જવા માટે ત્રામર બનાવી ઉપયોગ કરવો પડે છે. આમ ત્યાં બ્રીજ બનાવવા માટે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ માંગણી કરી હતી.
જે માટેની દરખાસ્ત પણ તૈયા કરાઈ હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજુર કરી છે અને બ્રીજ, પ્રોટેક્શન વોલ, સીસી રોડ વગેરે માટે રૂ. ર૧ કરોડ ૩૦ લાખનો ખર્ચ મંજુર કર્યો છેેેેેેેેેેેેેેેેેેે. ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ રણુંજાથી વિરવાવ સુધીના માર્ગ માટે પણ રૂ. ૬ કરોડની રકમ મંજુર કરવામાં આવી છે.
આ ગાડા માર્ગ છે. આ ર૪ ગામના લોકો તેનો ઉપયોગ કરે છે તથા પડધરી-રાજકોટને જોડતો આ માર્ગ છે. આથી હવે યાત્રાળુ-જાત્રાળુને ફાયદો થશે કારણ કે તેમને રસ્તાની સુવિધા મળી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial