Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગર જૈન મિત્ર મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને છેલ્લા ૧૧ વર્ષથી બ્રાન્ડેડ નોટબુક ફૂલસ્કેપ ચોપડા સહિત વિગેરે સ્કૂલ સ્ટેશનરી ખૂબ જ વ્યાજબી કિંમતે દાતાઓના સહયોગથી વિતરણ કરવામાં આવે છે.
આ વર્ષે ર૦રપ માં સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને બ્રાન્ડેડ, ફૂલસ્કેપ ચોપડા તથા અન્ય સ્કૂલ સ્ટેશનરી વિતરણ કરવાના કાર્યક્રમને અનુલક્ષીને ગુરુ, શુક્ર, શનિ અને રવિવારના (તા. ૩, ૪, પ અને ૬ એપ્રિલ) દિપક હોલમાં રાત્રે ૯-૩૦ થી ૧૧-૩૦ સુધી બુકીંગ કરવામાં આવી રહ્યું છે. રવિવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે ૩ થી પ દરમિયાન બુકીંગ કરવામાં આવી રહ્યું છે. સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓને લાભ લેવા માટે જૈન મિત્ર મંડળના સ્થાપક પ્રમુખ અને ચેરમેન વિજયભાઈ સંઘવીએ અનુરોધ કર્યો છે.
નોટબુક, ચોપડા તથા સ્કૂલ સ્ટેશનરીનું બુકીંગ કર્યા પછી દરેક વિદ્યાર્થીઓને રવિવાર, તા. ૧૮ મે ર૦રપ ના સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી પ દરમિયાન અંબર ટોકીઝ પાસે આવેલ કામદાર વાડીમાં વિતરણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial