Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

આવતીકાલ તા. ૬ થી ૧ર એપ્રિલ દરમિયાન

ખંભાળિયા તા. પઃ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઓખામાં સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં તા. ૬-૪-ર૦રપ થી તા. ૧ર-૪-ર૦રપ સુધી પ્રથમ વખત સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ભાગવતાચાર્ય ગૌરાંગભાઈ જાની બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન જગદ્ગુરુ શંકરાચાર્યના પરમ શિષ્ય નારાયણનંદજી, કથાકાર રમેશભાઈ ઓઝા, કથાકાર જીગ્નેશ દાદા, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કથાના મુખ્ય યજમાનપદે વિરેન્દ્રભાઈ, અશ્વિનભાઈ પંચોલી, સંજયભાઈ ભટ્ટ, અરવિંદભાઈ ઉપાધ્યાય, અશોકભાઈ રાવલ, જીવરાજભાઈ પંડ્યા, અનિલભાઈ ત્રિવેદી, હસમુખભાઈ ભટ્ટ સહિતના ર૧ શ્રેષ્ઠીઓએ પાટલા પોથીનો લાભ લીધો છે. કથાશ્રવણનો સમય દરરોજ સાંજે ૩-૩૦ થી સાંજે ૭-૩૦ સુધીનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh