Advertisement
Author: નોબત સમાચાર

કાલે રામનવમી સાથે રાજકોટના ઈસ્કોન મંદિરનો ૨૨મો બ્રહ્મોત્સ

૨૧૦૦ કિલો સુગંધમય પુષ્પોથી રામચંદ્રજીનો અભિષેકઃ ભંડારો

જામનગર તા.૫: આવતીકાલે રામનવમી સાથે ઈસ્કોન મંદિર રાજકોટનો ૨૨મો બ્રહ્મોત્સવ ઉજવાશે. રાત્રે ૮ વાગે ૨૧૦૦ કિલો વિવિધરંગી સુગંધિત ફૂલોથી ભગવાન રામચંદ્રનો પુષ્પ અભિષેક કરાશે. ભાવિકો માટે ભંડારા પ્રસાદનું આયોજન કરાયું છે.

આ વર્ષે તા.૦૬ એપ્રિલ રવિવારના રામનવમી શહેરના કાલાવડ રોડ પર સ્થિત ઈસ્કોન મંદિર રાજકોટનો રામનવમીના દિવસે ૨૨મો બ્રહ્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.

આ અંગે માહિતી આપતા ઈસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, આ વર્ષે રામનવમીના દિવસે ઈસ્કોન મંદિર રાજકોટ, દ્વારા ભગવાનશ્રી રામચંદ્રના અવિર્ભાવ તેમજ મંદિરના ૨૨માં બ્રહ્મોત્સવની એમ બેવડી ખુશી મનાવવા જઈ રહ્યું છે.

ઈસ્કોન મંદિર રાજકોટમાં ભગવાનશ્રી સીતા, રામ લક્ષ્મણ, હનુમાનજીનો રામ દરબાર પણ આવેલ છે માટે ઈસ્કોન મંદિર દ્વારા આ વર્ષે રામનવમીના પર્વની ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ માટે રાજકોટ હાલારની જનતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સાંજે ૪ થી ૬ ભકિતમય અને સુમધુર કીર્તન, વિશેષ ભગવાન શ્રીરામની આરતી અને રાત્રે ૮-૦૦ વાગે ૨૧૦૦ કિલો વિવિધ પ્રકારના સુગંધિત ફૂલોથી ભગવાન શ્રી રામચંદ્રનો પુષ્પ અભિષેકનું આયોજન કરવામાં આવેલ છે. સાંજે ૫ વાગ્યાથી સર્વ દર્શનાર્થીઓ માટે ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.  આથી ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા રાજકોટ સહિતની ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી જનતાને મંદિરે પધારવા, ઉપરોકત કાર્યક્રમોનો લાભ લેવા અને મહાપ્રસાદ લઈને ભગવાન શ્રીરામની કૃપા પ્રાપ્ત કરવા ભવતારક કૃષ્ણદાસ મીડિયા અને કોમ્યૂનિકેશન ઈન્ચાર્જ ઈસ્કોન મંદિર રાજકોટએ  જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh