Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરંભડા-ભીમરાણાના લોકો પણ જોડાશે
મીઠાપુર તા.૫: દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવતીકાલે રામનવમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવતીકાલે સવારે રામ મંદિરથી ૭:૩૦ વાગ્યે સવારે શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે સુરજકરાડી રામ મંદિરમાં શોભાયાત્રાનો સમાપન થશે. શોભાયાત્રાના માર્ગ પર અનેક સેવાકિય સંસ્થા અને અગ્રણી અને વેપારીઓ દ્વારા સરબત, નાસ્તા, છાસ, આઈસ્ક્રીમ જેવા પ્રસાદના સ્ટોલ કરવામાં આવશે. બપોરે ૧ કલાકે મહાપ્રસાદ (ફરાળ) બપોરે રામ મંદિરમાં રાખવામાં આવ્યો છે. બપોરે ૧૨ વાગ્યાથી બે વાગ્યા સુધી અન્નકુટ દર્શન રાખવામાં આવેલ છે તો સુરજકરાડી, મીઠાપુર, આરંભડાની તમામ જનતાને આ ઉત્સવનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમનું આયોજન શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial