Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના ૨૬૧ એએસઆઈને ફોજદાર તરીકે પ્રમોશન આપતો જારી થયો આદેશ

જામનગર તથા દ્વારકાના અધિકારીઓને મળી બઢતીઃ

જામનગર તા.૪ : જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ ઉપરાંત રાજયભરના ૨૬૧ બિન હથિયારધારી એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવા સાથે રાજ્યના મુખ્ય પોલીસવડાએ અન્ય જિલ્લામાં બદલી આપી છે.

રાજ્યના બિનહથિયાર ધારી પોલીસ વર્ગમાં ફરજ બજાવતા ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સવા વર્ષમાં પીએસઆઈથી માંડીને ક્લેરીકલ સ્ટાફ સુધીના ૭૦૩૧ પોલીસકર્મીને બઢતી મળી છે.

ગઈકાલે જાહેર થયેલા ઉપરોક્ત હુકમ અન્વયે જામનગરના યુ.પી. પરમાર, સી.કે. રાઠોડ, ડી.જે. જોષી, કે.કે. નારીયા, એ.જે. પોપાણીયા, વી.ડી. રાવલીયા, એ.બી. ચાવડા, એચ.એમ. ચાવડા, કે.પી. જાડેજા, એમ.પી. મોરી, એસ.આર. ચાવડા, આર.એમ. ડુવાને પીએસઆઈ તરીકે બઢતી આપી અન્ય જિલ્લાઓમાં નિમણૂકનો હુકમ આવ્યો છે.

તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એમ.જે. વાળા, બી.વી. પરમારને પણ બઢતી સાથે બદલી અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh