Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તડામાર તૈયારીઃ મુખ્ય પાલખી તૈયાર
જામનગર તા. પઃ જામનગર શહેરમાં નીકળનારી ૪૪ મી રામસવારીમાં વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફરી રહેલા રામ-લક્ષ્મણ-જાનકીના રથ સાથેનો ફ્લોટ્સ તૈયાર કરી નગર ભ્રમણ કરશે.
'છોટીકાશી' જામનગર શહેરમાં તા. ૬ના રવિવારે ૪૪ રામ સવારી યોજાવા જઈ રહી છે ત્યારે મહાદેવહર મિત્ર મંડળ સહિતના મંડળો દ્વારા વિશેષ રૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે, અને આ વખતે પણ રામ સવારીના જુદા જુદા ફ્લોટમાં ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકીના અનેક સ્વરૂપ જોવા મળશે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની મુખ્ય પાલખીને તૈયાર કરવામાં આવે છે. જેમાં ભગવાન શ્રી રામ તેમજ લક્ષ્મણ અને માતા જાનકી વનવાસ પૂર્ણ કરીને એક રથમાં બિરાજમાન થઈને જે રીતે અયોધ્યા ભ્રમણ કરે છે તેવી પ્રતીતિ થાય તેને અનુરૂપ વિશેષ ગુલાબી વેશભૂષા સાથેનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. કલરફૂલ લાઈટીંગ અને ફૂલો સાથે ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-જાનકીને તથા હનુમાનજીને બિરાજમાન કરીને સુંદર અને આકર્ષક રથ તૈયાર કરી તેનું નગર ભ્રમણ કરાવશે જેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial