Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આયંબિલની ઓળીના કાર્યક્રમો શરૂ

પ.પૂ. સંબોધિજી મહાસતીજી આદિઠાણા-૬ ના સાંનિધ્માં

જામનગર તા. પઃ રાષ્ટ્રસંઘ પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂ. શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિત્ય ઠાણા-૬ જામનગરના ભાવિકોને આયંબીલ ઓળી પર્વની આરાધના કરાવવા અર્થે શ્રી તેજ પ્રકાશ ઉપાશ્રય, બેંક કોલોની સંઘમાં પધાર્યા છે. તા. ૪-૪-ર૦રપ થી આયંબીલ ઓળી પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને નવ-નવ દિવસ સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આયંબીલ ઓળી પર્વ અંતર્ગત દરરોજ સવારે ૯-૩૦ વાગ્યે પ્રવચન, ૧૦-૩૦ વાગ્યે વિશિષ્ટ ક્વિઝ અને ૧૧-૩૦ વાગ્યા પછી આયંબીલનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮-૧પ વાગ્યે શ્રી પારસધામના આંગણે વિશિષ્ટ પ્રવચન માળા-ધ પાવર ઓફ સ્લો ડાઉન યોજવામાં આવશે.

તા. પ/૪ ને શનિવારે રાત્રે ૮-૧પ વાગ્યે યુવાનો માટે સ્પેશિયલ શિબિર 'ટ્રુથ ફોર યુથ' તેમજ પરિવારને પ્રભુનો પરિવાર કેવી રીતે બનાવવો તે સમજાવતું વિશેષ પ્રવચન 'સમજ ઈન, સ આઉટ' રવિવારે સવારે ૯-૩૦ વાગ્યે રાખવામાં આવ્યું છે. તા. ૯/૪ ના વર્લ્ડ નવકાર ડે અવસરે સવારે ૮ થી ૯-૩૦ વાગ્યા સુધી સમૂહમાં નમસ્કાર મહામંત્રની આરાધના કરવામાં આવશે. તા. ૧૦/૪ ને ગુરુવારે સવારે ૧૦-૩૦ વાગ્યે 'મેં પહેચાનના પાયા' ભવ્ય અને હૃદયસ્પર્શી નાોટીકાની પ્રસ્તુતિ સાથે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું ભક્તિભીનું અનેરૂ આયોજન ટાઉનહોલમાં રાખવામં આવ્યું છે.

કામદાર વાડીમાં 'કિડ્સ ફન ફિયેસ્ટા' અંતર્ગત કિડ્સ સ્પેશિયલ આયંબીલના આયોજનમાં આયંબીલનનું ભોજન સાથે મનગમતા આકર્ષક ઈનામ અને જે બાળક સંપૂર્ણ ૯ દિવસ આયંબીલની આરાધના કરશે. તેમને બમ્પર પ્રાઈઝ આપવામાં આવશે. આ આયોજન અંતર્ગ સ્કૂલમાં જતા બાળકોના સમયને ધ્યાનમાં રાખી ૩ વાગ્યા સુડ્સ ફન ફિયેસ્ટા ઓપન રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh