Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિરંગાથી લ૫ેટીને અંતિમયાત્રાઃ રાજકીય સન્માન સાથે અગ્નિસંસ્કાર
મુંબઈ તા. પઃ ગઈકાલે અનંતયાત્રાએ નીકળી ગયેલા મનોજકુમારનો પાર્થિવદેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. અંતિમ વિદાય આપતા પત્ની શશી ગોસ્વામી ભાંગી પડ્યા હતાં.
બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજકુમારનું શુક્રંવારે (ચોથી એપ્રિલ) ૮૭ વર્ષની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું હતું, ત્યારે આજે (પાંચમી એપ્રિલ) તેમના પાર્થિવ દેશને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો. અને તેમની રાજકીય સન્માન સાથે ર૧ તોપોની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈના પવનહંસ સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરાયા હતાં.
આ દરમિયાન ફિલ્મ જગતની અનેક હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં. મનોજકુમારના અંતિમ સંસ્કાર પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતાની પત્ની શશી ગોસ્વામી તેના પતિના મૃતદેહને ગળે લગાવીને રડતી જોવા મળે છે. દિગ્ગજ અભિનેતા મનોજકુમાર પાંચ તત્ત્વોમાં ભળી ગયા છે. મુંબઈના પવનહંસ સ્મશાનગૃહમાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું ચોથી એપ્રિલના રોજ સવારે લગભગ ૩.૩૦ વાગ્યે નિધન થયું હતું. અમિતાભબચ્ચન, પ્રેમચોપરા અને રાજપાલ યાદવ સહિતના ઘણા કલાકારોએ અભિનેતા મનોજકુમારના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને તેમને અંતિમ વિદાય આપી હતી. અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મનોજકુમારના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈના પવનહંસ સ્મશાનગૃહ પહોંચ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial