Advertisement
Author: નોબત સમાચાર

ભાગવત કથા, વિષ્ણુયાગ યજ્ઞ, સમૂહલગ્ન તેમજ સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામમાં

ભાટીયા તા. ૨: કલ્યાણપુર તાલુકાના ગાંગડી-વિરપુર સમસ્ત ગામ દ્વારા ગાંગડી ગામમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૪-૪ થી તા. ૧૧-૪ સુધી લાંબા બંદરના ભાગવત કથાકાર ધવલભાઈ અત્રીના વ્યાસાસને ભાગવત કથા યોજાશે. કથા શ્રવણનો સમય સવારે અને સાંજે રહેશે. બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા દરેક ક્ષોતાઓ માટે કરવામાં આવી છે.

તા. ૪-૪થી પંચકુંડી સાત દિવસનો વિષ્ણુ યાગ યજ્ઞ યોજાશે. પોરબંદરના નટુભાઈ જોષી આચાર્યપદેથી યજ્ઞની વિધિ કરાવશે. તા. ૮-૪ના રાત્રે ૧૦ વાગ્યે રતીદાસ ગોંડલીયા, દેવરાજભાઈ ગઢવી, બિરજુ બારોટ વગેરે કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૨-૪ના કાનગોપી રાસ ટુપણા મંડળી દ્વારા રજુ થશે. તા. ૬-૪ના સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાશે. જેમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ ધાર્મિકોત્સવ દરમ્યાન સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh