Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રામનવમીના દિવસે પ્રથમ વખત એક અનોખું આકર્ષણ

જામનગર તા. ૫: જામનગરમાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પર્વ તેમજ રામનવમીના પર્વે પ્રતિ વર્ષ  નવા આકર્ષણો ઊભા કરવામાં આવે છે, તે અનુસાર આ વખતે શોભાયાત્રાના તમામ રૂટ પર ૧૨ ફૂટના વિશાળ કદના હનુમાનજીને નગર ભ્રમણ કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

 નગરના જ એક કલાકાર મયુરભાઈ ગોસ્વામી દ્વારા હનુમાનજીને વેશભૂષા તૈયાર કરીને ૧૨ ફૂટના કદના હનુમાનજીનું રૂપ ધારણ કરાશે.

વિશાળ ગદા સાથેના આકર્ષક પહેરવેશ સાથે ના હનુમાનજી માટે શોભાયાત્રા ના રૂટ પર એક વિશેષ ફલોટ તૈયાર કરાયો છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ તેમજ રંગતાળી ગ્રુપ અને સહિયર ગ્રૂપના સહયોગથી તૈયાર કરાયેલા ફ્લોટ્સમાં હનુમાનજીને બિરાજમાન કરાવવામાં આવશે.

 ત્યારબાદ શોભા યાત્રામાં જોડાનારા તમામ ફ્લોટ્સ કે જેની વચ્ચે વિશાળ કદના હનુમાનજીની પધરામણી કરાવવામાં આવશે, અને ક્રમશઃ પૂરા શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કરાવાશે. જે નજારો નિહાળવા સર્વે ધર્મ પ્રેમીઓને શોભાયાત્રામાં જોડાવા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh