Advertisement
Author: નોબત સમાચાર

પતિના નિધન પછી એકલવાયાપણું અનુભવતા મહિલાએ ખાધો ગળાફાંસો

ગુમસુમ રહેતા મહિલાએ ભર્યું આત્મઘાતી પગલું:

જામ  નગર તા.પ : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં વસવાટ કરતા એક મહિલાએ નવેક મહિના પહેલા પતિના થયેલા નિધન પછી એકલવાયાપણું લાગતા તેણી ગુમસુમ રહેતા હતા. આ મહિલાએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગર પાસે વસવાટ કરતા રેખાબેન મનિષભાઈ મકવાણા (ઉ.વ.૫૦) નામના ખવાસ પ્રૌઢાએ ગઈકાલે સવારે પોતાના ઘરે સિમેન્ટની આડીમાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પતિ તથા પરિવારને જાણ થતા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સ સ્ટાફે આ મહિલાને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. કેતનભાઈ લાલજીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.

તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવાયા  મુજબ રેખાબેનના પતિ મનિષ ભાઈનું નવેક મહિના પહેલાં અવસાન થયું હતું. તે પછી ગુમસુમ રહેતા રેખાબેન એકલવાયાપણું અનુભવતા હતા. તેઓએ લાગી આવતા ગઈકાલે આત્મહત્યા કરી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh