Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના જીરાગઢમાં નદીમાં ઉતરેલી ભેંસને બહાર કાઢવા ઉતરેલા યુવાન ડૂબ્યાઃ બેના મોત

ચારમાંથી બે યુવાનને બચાવી લેવાયાઃ એકનો ગઈકાલે અને બીજાનો આજે મૃતદેહ મળ્યોઃ

જામનગર તા. પઃ જોડિયા તાલુકાના જીરાગઢ ગામ પાસે આજી નદીમાં ગઈકાલે કેટલીક ભેંસો ઉતરતા તેને બહાર કાઢવા માટે ચાર ભરવાડ યુવાન નદીમાં ઉતર્યા હતા. તેમાંથી બે યુવાન નદીના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક યુવાનનો મૃતદેહ ગઈકાલે અને બીજાનો આજે મળી આવ્યો છે. બે યુવાનને નદીમાંથી કાઢી લેવાયા હતા.

જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીકથી વહેતી આજી નદી પાસે ગઈકાલે જીરાગઢ ગામના ભરવાડ પરિવારના ચાર યુવાન પોતાની ભેંસ ચરાવવા માટે ગયા હતા. આ યુવાનોની ભેંસો ચરતી ચરતી નજીકમાં આવેલી નદીમાં ઉતરી ગઈ હતી. તેથી રવિ ચનાભાઈ બાંભવા (ઉ.વ.૧૪), પોપટભાઈ સોડાભાઈ પડસરીયા (ઉ.વ.૩૦), પિયુષ દિનેશભાઈ લામકા (ઉ.વ.૧૧), ધનાભાઈ રાજાભાઈ બાંભવા (ઉ.વ.૨૦) ભેંસોને બહાર કાઢવા માટે નદીમાં ઉતર્યા હતા.

આ વેળાએ રવિ ચનાભાઈ બાંભવા નદીના ઉંડાણમાં પહોંચી ગયા પછી તરતા આવડતું ન હોવાથી ડૂબવા માંડ્યા હતા. સાથે રહેલા પિયુષ લામકા અને પોપટ પડસરીયા તેમજ ધનાભાઈ બાંભવાએ રવિને બચાવી લેવાનો પ્રયાસ શરૂ કર્યાે હતો.

આ વેળાએ કાંટા પર હાજર વ્યક્તિઓએ ચારેયને બહાર કાઢવાના પ્રયત્નો આદરી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ ધસી ગઈ હતી. તે દરમિયાન પિયુષ અને પોપટ પડસરીયા નામના યુવાનોને બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. જ્યારે રવિ બાંભવાનો મૃતદેહ નદીમાંથી સાંપડ્યો હતો.

આ યુવાનોની સાથે રહેલા ધનાભાઈની મોડીરાત્રિ સુધી પાણીમાં શોધખોળ કરવા છતાં પત્તો સાંપડ્યો ન હતો. તે પછી આજે ધનાભાઈનો પણ મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh