Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આકરો તાપ-બફારોઃ મહત્તમ તાપમાન ૩૯.પ ડીગ્રીઃ ભેજનું પ્રમાણ ૯પ ટકા

અસહ્ય ગરમી-બફારાના કારણે પ્રજાજનો ત્રાહિમામ્:

જામનગર તા. પઃ જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૩૦% સુધી વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચ્યું હતું. મહત્તમ તાપમાન ૩૯.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. તાપમાન તથા ભેજનું પ્રમાણ વધુ રહેતા આકરા તાપ અને બફારાના ડબલ એટેકથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

જામનગરમાં એપ્રિલ માસના પ્રારંભથી જ ઉનાળાએ ગતિ પકડી લીધી છે. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૯.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૧.પ ડીગ્રી નોંધાયું હતું. છેલ્લા ૪૮ કલાકમાં ૩૦ ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રીને પાર કરી જતા ગઈકાલે બપોરે પણ આકરા તાપનો અનુભવ કર્યો હતો. ગગનમાંથી અંગારા વરસતા હોય તેવી ભયંકર ગરમીથી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અસહ્ય ગરમી સાથે બફારાનું મિશ્રણ થતા પ્રજાજનો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં. અસહ્ય ઉકળાટથી લોકો આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

નગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા નગરજનોએ રાહત અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh