Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં આવતીકાલે રામનવમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા

ખંભાળિયા તા. ૫: ખંભાળિયામાં ૬-૪-૨૫ના શ્રીરામ નવમીના નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા થયું છે.

બપોરે ચાર વાગ્યે ખંભાળિયામાં નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરે ભગવાનની આરતી ઉતારીને શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જે યાત્રા શ્રીરામ મંદિરથી નગર ગેઈટ, ત્યાંથી બરછા પાડો, મોરલી મંદિર, લુહાશાળ, ઝવેરી બજાર, હર્ષદ માતાજી મંદિર, માંડવી ટીંબા પાસે, ગુગળી ચકલો, રંગમહેલ શાળા, કલ્યાણજી મંદિર, શાક માર્કેટ બજાર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડીયા હનુમાન અને શારદા સિનેમા રોડ પર થઈને નગર ગેઈટથી પુનઃ શ્રીરામ મંદિરે શોભાયાત્રા પૂર્ણ થશે.

વિ.હિ.પ. તથા બજરંગળ દળ આયોજીત આ શોભાયાત્રામાં ભગવાન રામ કૃષ્ણ સીતાની વેશભૂષા તથા બજરંગબલીના રૂપમાં નાના ભૂલકાઓ જોડાશે તથા ઠેર ઠેર ધજા પતાકા તથા શણગાર કરાયા છે. ધર્મપ્રેમી લોકોને જોડાવા નિમંત્રણ અપાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh