Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતશ્રી ઉ૫વાસીબાપુની પુણ્યતિથિએ
જામનગર તા. ૫: કુદરતી સૌંદર્યથી ભરપુર અને તુહીં રામ પ્યારે રામના નાદથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી સંતશ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધારધામમાં સંતશ્રી ૧૦૦૮ ઉપવાસીબાપુની ૧૯મી પુણ્યતિથિ આગામી તા. ૮/૪/૨૫ મંગળવારે શ્રી વિષ્ણુયજ્ઞ સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે. આગામી તા. ૮/૪/૨૫ મંગળવાર સંતશ્રી ચત્રભુજદાસજી મહારાજ (ઉપવાસીબાપુ)ની ૧૯મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૭:૧૫ ધ્વજારોહણ અને ૯-૩૦ કલાકે ચરણ પાદુકા પૂજન કરવામાં આવશે. સવારે ૭ વાગ્યે વાગ્યે શ્રી વિષ્ણુયજ્ઞનો મંગલ પ્રારંભ થશે. બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ અને સાંજે ૫ વાગ્યે શ્રી વિષ્ણુયજ્ઞનું સમાપન થશે. આ દિવ્ય વિષ્ણુયજ્ઞ ના યજમાન દિપસિંહ બચુભા ભાટી છે. આ મંગલદિવસે દેવદર્શન, વિષ્ણુયજ્ઞ દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી ભક્તજનોને સપરિવાર પધારવા દાણીધારધામના મહંત મહા મંડલેશ્વર શ્રી સુખદેવદાસજી બાપુ અને શ્રી નાથજી દાદા ટ્રસ્ટ તેમજ શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial