Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આસામીએ અદાલતમાં નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા.૫ : જામનગરના એક પ્રૌઢને પોલીસ મથકે બોલાવી પટા વડે માર માર્યાની પીઆઈ તથા પીએસઆઈ સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી બંને પોલીસ અધિકારીનો છૂટકારો ફરમાવ્યો છે.
આ બનાવની વધુ વિગત મુજબ જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા ભાવસંગ રાઠોડ નામના આસામીએ અદાલતમાં થોડા સમય પહેલાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બનાવના દિવસે તેઓ પોતાના પરિવાર સાથે ઘરમાં હતા ત્યારે સિટી સી ડિવિઝન તત્કાલિન પીઆઈ કે.પી. જોષી અને પીએસઆઈ સંજય મહેતા રાત્રિના સમયે આવ્યા હતા.
આ વ્યક્તિઓએ તારો પુત્ર સંજયસિંહ ક્યા છે, તેને સવારે પોલીસ સ્ટેશન હાજર કરજે તેમ કહેતા બીજા દિવસે સવારે ભાવસંગ અને તેમના પત્ની પોલીસ મથકે ગયા હતા. જ્યાં પીઆઈ-પીએસઆઈએ તારો પુત્ર ક્યા છે તેમ કહી પટાથી ભાવસંગને માર માર્યાે હતો અને રાત્રિ સુધી ગોંધી રાખ્યા હતા.
ઉપરોક્ત ફરિયાદ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, તેઓએ કોઈ ગુન્હો કર્યાે ન હતો અને એફઆઈઆર ન હતી તેમ છતાં પોલીસે કોઈ ખુલાસો કર્યા વગર જ ભાવસંગને માર મારી પત્ની સામે અપમાનજનક સ્થિતિમાં મુક્યા હતા અને સત્તાનો દૂર ઉપયોગ કરી પોલીસ મથકમાં ગોંધી રાખ્યા હતા.
તેની સામે બચાવપક્ષે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા કોઈ ગુન્હો કરાયો નથી, પુત્રએ ગુન્હો કર્યાે હોય તેને હાજર કરાવવા પોલીસ દ્વારા ડ્યૂટી બજાવવામાં આવી હતી. આ રીતે પોલીસ સામે આક્ષેપો થતાં રહેેશે તો સમાજમાં તેનો ટ્રેન્ડ ઉભો થશે અને પોલીસ કામગીરી કરી શકશે નહીં. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી પીઆઈ જોષી તથા પીએસઆઈ મહેતાનો છૂટકારો ફરમાવ્યો છે. બચાવપક્ષ તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial