Advertisement
Author: નોબત સમાચાર

તળાવમાં ન્હાવા ઉતરેલા નેપાળી તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ

ફાયરબ્રિગેડે મૃતદેહ કાઢ્યોઃ

જામનગર તા.પ : જામનગરના રણમલ તળાવમાં ગઈકાલે ન્હાવા ઉતરેલા એક નેપાળી તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જામનગરના રણમલ તળાવમાં ગઈકાલે સાંજે જામનગરમાં વસવાટ કરતા એક નેપાળી પરિવારનો તરૂણ વયનો પુત્ર ન્હાવા માટે ઉતર્યા પછી ડૂબ્યો હતો. આ બાબતની ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવતા દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીમાં તે તરૂણની શોધખોળ શરૂ કર્યા પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દોડી આવેલી પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh