Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પી.સી. એન્ડ પીએનડીટીના એકટ હેઠળ નોંધાયેલા તમામ રેડીયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ માટે એક વર્કશોપ યોજાઈ ગયો. સૌપ્રથમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ વર્કશોપમાં પીસી એન્ડ પીએનડીટી એકટ હેઠળ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે અને રેકર્ડ કોપીંગ માટે ડો. દિપ ભગદેએ અને ડો. પ્રેમકુમાર કન્નરે પીસીપી અનેડીટી એકટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત સરકારી વકીલ ડીજીપી જમનભાઈ ભંડેરી દ્વારા પણ આ કાયદાકીય સૂચનો સાથે માર્ગદર્શન અપાયું હતું.
આ વર્કશોપમાં જામનગર જિલ્લાના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. ઈલાબેન પુનાતર, ડો. કલ્પનાબેન ખંઢેરિયા, ફોગ્સીના પ્રમુખ ડો. હિનાબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીઓ ઈએમઓ ડો. સંદીપ રાઠોડ, કયુએમઓ ડો. રાજેશ ગુપ્તા, ડીપીસી યગ્નેશ ખારેચા તથા પીસી અને પીએનડીટી એકટ હેઠળ રજીસ્ટર થયેલ તમામ તબીબો હાજર રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીઆઈઆઈ ઈસીઓ નીરજ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપના અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા દ્વારા આભારવિધિ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial