Advertisement
Author: નોબત સમાચાર

લોકમાન્ય વિદ્યાલયના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનો 'દીક્ષાંત સમારોહ' સંપન્ન

જાંબુડામાં નવચેતન વિદ્યામંડળ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. શાળાના પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવી, મંત્રી મનુભાઈ ચનિયારા તથા શાળાનો નિવૃત્ત સ્ટાફ હાજર રહ્યા હતાં. આચાર્ય ભરતભાઈ મુંગરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શિક્ષિકા મનિષાબેન ચૌહાણે વિદાય ગીત રજૂ કર્યું હતું. શિક્ષક કિશોરભાઈ સરવૈયાએ પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત્ત ક્લાર્ક હસુભાઈ લાંબાએ ભજન રજૂ કર્યું હતું. મંત્રી મનુભાઈ ચનિયાર, પ્રમુખ સૂર્યકાંતભાઈ મઢવીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંચાલન વિદ્યાર્થીની સેજલ રાઠોડ અને ભાગ્યશ્રી મકવાણાએ કર્યું હતું. શાળાનો વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ શિક્ષિકા જાનકીબેને આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh