Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાના પ્રાંગણમાં જ લોકોપયોગી સાધન સામગ્રી ધૂળ ખાય છે! જવાબદાર કોણ?

લાખોના ખર્ચે ખરીદાયેલા ટ્રી ગાર્ડ, સ્ટ્રીટલાઈટ પોલ્સ, વ્હીલ બરોઝ વગેરે બિનઉપયોગી કેમ પડી રહ્યા? છે કોઈ જવાબ?

જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિવિધ લોકઉપયોગી સામગ્રી ખરીદ કર્યા પછી તેને લકાર્પણ કરી નથી પરિણામે લાખો રૂપિયાની સામગ્રી મહાનગરપાલિકાના પટાંગણમાં ધૂળ ખાતી પડી છે. શહેરના વિવિધ સ્થળોએ સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે પાઈપ ખરીદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સફાઈ કામદારો માટે વ્હીલ બરોઝ (કચરો એકત્ર કરવાનું વાહન) ખરીદાયા છે જે આજે પણ ધૂળ ખાતા પડ્યા છે, જ્યારે સફાઈ કર્મચારીઓ કોથળા અને પ્લાસ્ટિકના કટકામાં કચરો ભરીને હેરાફેરી કરતા નજરે ચઢે છે. તો પછી આ વ્હીલ બેરોઝ ખરીદવાનો મતલબ શું છે? તેવી જ રીતે ટ્રી ગાર્ડ પણ ઢગલાબંધ ખીરદાયા પછી હાલ તો ઢગલા રૂપે પટાંગણમાં રાખી દેવાયા છે. આમ આ તમામ ચીજવસ્તુ સામગ્રી ખરીદી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેનો ઉપયોગ લોકો માટે કરવાની તસ્દી લેવામાં આવતી નથી. ફક્ત મિટિંગો, ઉદ્ઘાટનોમાં હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરતા પદાધિકારીઓ ક્યારેક મનપાના પટાંગણમાં પણ નજર કરે તો ધ્યાનમાં આવશે કે કેટલા રૂપિયાની નવી નક્કોર સામગ્રી ધૂળ ખાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh